મારા પરમ મિત્ર શ્રી શરદભાઈ મેહતા મારા જન્મ દિવસે કંઈ નવીજ ભાવભીની કાવ્યમય રચના કરે અને શુભકામનાઓ પાઠવે છે. આ ૧૦/૦૭/૨૦૧૧ ના રોજ પણ તેમણે આ રચના લખી આપી. તેમના આ પ્રેમભર્યા ભાવનો હું ૠણી રહીશ.
પરમ સુખ પરમ નિધાન,
પુરૂષોત્તમ એવું પ્યારું નામ.
મેલી ગુજરાત આવ્યા દ્વારકાધામ,
નરસી-મીરામ જેમ મળ્યું સુખધામ.
જેવી લગનથી પ્રભુને ભજ્યા,
એવાજ દુઃખીના કાર્યો કર્યા.
ડૉ. ગોરડીયાની યાદ દેવડાવી,
લોકોના હૈયામાં શ્રદ્ધા જગાડી.
લેતા હરદમ પ્રભુનું નામ,
એનાજ વિશ્વાસે થતા એના કામ.
“સાજ” ઉપનામે રચનાઓ કરી,
ભાવના કેવળ દ્વારકાનાથની ભરી.
ભક્તિમાં તન્મય થઈ ગાતા,
દુઃખડા સર્વે ભૂલાઈ જાતા.
આવા મળ્યા અમને સુખધામ,
હવે પધારો છો નિજધામ.
“મંગલદિપ” કરશે ધૂનોનું ગાન,
કીર્તિ ફેલાય જગમાં પ્રભુ એવું દેજો દાન.
શ્રીશરદ મેહતા,
“મંગલદિપ”
મીઠાપુર.
Read Full Post »