કવિશ્રી ‘સાજ‘ મેવાડાના સ્વ–રચિત ભજન ગીત સંગ્રહ ‘વેણુનાદ‘ની વિમોચન વિધી તા.૨૭/૧૧/૦૫ ના રોજ મીઠાપુર ખાતે યોજાઈ ગઈ, જેમાં ડોં ઈશ્વર પરમારના અધ્યક્ષ સ્થાને, અતિથી વિષેશ સાહિત્યકાર શ્રી જયન્તિભાઈ ધોકાઈ તથા કવિ ‘બેખબર‘ મીઠાપુરી, જગદિશ વરૂ, હિરજી જગતિયા, ઓખામંડળના લોકપ્રિય સંગીતકાર શ્રી નવલભાઈ જોષી ના કર કમલ દ્વારા ‘વેણુનાદ‘ની લોકાર્પણ વિધી થઈ.
કર્મ ક્ષેત્ર M.S.(જનરલ સર્જરી) સર્જન તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડૉ.શ્રી મેવાડા સાહેબનું એક અનોખું સર્જન એટલે ‘વેણુનાદ‘ . આ સરળ ભાષાના શણગાર વડે પ્રભુ ભક્તિના રસથી વાંચકોને તરબોળ કરવાની ક્ષમતા દર્શાવી છે.
ડૉ. મેવાડા સાહેબ સાહિત્ય પ્રેમી છે અને સંગીતનો ખાસ શોખ ધરાવે છે. આ શોખ તેમના ભજન–ગીતમાં પણ પ્રતિબિંબીત થાય છે. ડૉ. શ્રી મેવાડા સાહેબ સૂર–લયની સાધના દ્વારા ભજન ગીતને સ્વરમાં ઢાળીને રચનાને કર્ણપ્રિય બનાવી છે.
વેણુનાદની દરેક રચના ભાવકને પ્રભુની પ્રસાદી પ્રાપ્તિની પ્રતિતિ કરાવે છે. ‘વેણુનાદ‘ની દરેક રચના અલગ અલગ રાગોમાં ઢાળીને શ્રી ‘સાજ‘ મેવાડા સાહેબે કવિજ નહિં પરંતુ સંગીત સાધકની પણ પ્રતિતિ કરાવી છે.
આકર્ષક મુખપૃષ્ઠમાં ‘વેણુનાદ‘ની દરેક રચનાઓ આત્મપના તારને ઝણઝણાવી જાય છે. કવિ શ્રી ‘સાજ‘ મેવાડા સાહેબને અભિનંદન. કવિશ્રી ‘સાજ‘ ની કલમનો પરિચય ફક્ત બે લીટીમાં પણ આપી શકાયઃ
‘સાજ‘ને સમજો ને સરગમમાં સાર છે,
પ્રભુને પામવાનો સાચો રાજ માર્ગ છે…..( ‘સાજ‘ મેવાડા )
—જગદીશ વરૂ
‘વાંચન‘ દિપોત્સવી અંક ૨૦૦૫ માંથી સાભારઃ
તંત્રી શ્રી જયંતિ ધોકાઈના અનિયતકાલિક પત્રિકા માંથી
‘વાંચન‘, કાર્યાલય,
જવાહર રોડ,
ઑખા–૩૬૧૩૫૦(જી. જામનગર)
Leave a comment