Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2011

માનનિય બ્લોગ મિત્રો,

મીઠાપુર-દ્વારિકા છોડ્યાને ૨ મહિના થયા. શ્રીકૃષ્ણની જ કૃપા હશે કે ૧૪ વર્ષ પછી પરત મારી માતૃભૂમિમાં ફરીથી સ્થાયી થયો, એનો આનંદ તો છે જ, પણ આ સાથે એક અજબનું દર્દ અનુંભવી રહ્યો છુ. ત્યાર પછી એકપણ કાવ્ય-ગીત-ભક્તિ રચના નથી થઈ. કદાચ ખરેખર મારો કાનુડો રિસાઈ ગયો છે કે મેં આવતાં પહેલાં, “ મારે કાનાનું નામ નથી લેવું..” એવું ગીત લખ્યું! ઘણા પ્રયત્નો કર્યા પણ એક પણ સુંદર પંક્તિ ભાવમાં ઉતરતી નથી. શુ કરું અને શુ ના કરું, એની જ ગડમથલ મનમાં ચાલ્યા કરે છે.

હવે તો એકજ ગીત યાદ આવ્યા કરે છે અને ગણગણ્યા કરૂ છુ, “ જો તુમ તોડો પિયા મેં નહી તોડુ રે, તોરી પ્રિત છોડી ક્રીષ્ણા કોન સંગ જોડુ?…”

(Meera Bhajan from Film- Zanak zanak payal baje, Singer-Vani Jairam, Music- Pt Ravishankar)

Read Full Post »