(Picture-Recaptured from ISKON original)
જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આવી રહ્યો છે. આ રચનાની વાતો ઘણી વાર કહેવાઈ હોવા છતાં કૃષ્ણની બાળલીલા ભક્તોને વારંવાર સાંભળવી કે ગાવી ગમે છે. હું ભક્તોમાં ગણાઉ એવી મારી લાયકાત નથી, છતાં શ્રી કૃષ્ણ ચરિત્ર ગમે છે અને તેમનાં માનવિય નટખટ સહજ બાળક રૂપ કૃત્યો ખૂબજ ગમે છે.
તો આજે આ સરળ એવી રચના-ગીત, “કોને કહીએ રે” આબાલ-વૃધ્ધ સૌને ગમશે.
કોને કહીએ રે(ગીત)
જશોદા તારો કાનુડો ઘણો નટખટ લાગે રે,
લાલને તારા વાળો મૈયા કોને કહીએ રે.
ગોપ વાનરની ટોળી લઈને માખણ ચોરે રે,
શીકે મેલ્યાં મહીં માખણને ઢોળી નાખે રે.
વલોણા ટાણે સંતાઈ મારી ગોરી ફોડે રે,
યમુના કાંઠે પાણી ભરતાં કંકર મારે રે.
ગોધન ભેળાં વાછરડાંને છોડી મેલે રે,
દોહવા ટાણે અમને જોતો તાળીઓ પાડે રે.
શાણો થઈને ડરીને બેઠો વહાલો લાગે રે,
“સાજ”ના સ્વામીની લીલા ભક્તો માણે રે.
“સાજ” મેવાડા