Feeds:
Posts
Comments

મિત્રો,

આજે વસંતપંચમી ના દિવસે મારી આ ભાવ-ભીની રચના, તમને જરુર ગમશે.


 

84-વસંતનાં વધામણાં

 

વસંતી વાયરામાં વનરાજી ઝુલે,

ભમરાએ ગૂંજ ભરી કળી કળી ને ફૂલે.

 

કેસુડાની ડાળ બેઠી કોયલડીના કંઠે,

દિધી નિસર્ગે વધામણી ટહુંકે ને ટહુંકે.

 

નવપલ્લવિત આંબાને મંજરીઓ ફૂટે,

ચંપાના પીળા ફૂલ સહેલીઓ લૂંટે.

 

કન્યાઓ અંબોલડે ગુલાબ જુઈ ગૂંથે,

સુંગંધ લેવાને ભલે પ્રિયતમ જોઈ ચૂંમે.

 

ફૂલડોલ ઉત્સવને હિંડોળા ખાટે,

માધવ ઝુલે છે પ્રેમે ભક્તોના ઠાઠે.

 

વાંસળીનો સુર આજ ગોકુળમાં ગૂંજે,

વિરહિણી રાધાનો “સાજ” શણગારો ભીંજે.

“સાજ” મેવાડા

 

 

 

ઘણા વખત પછી એક નવી ભક્તિ રચના રજુ કરું છુ. ઘણા પ્રયત્નો કરવા છતાંયે મન ગોકુળ, ગોવર્ધન, ગોપ-ગોપીઓ, કાલિંદી ઘાટ, અને વૃજના કૃષ્ણને ભૂલતું નથી. એમને છોડીને ક્યાં જવું?

83-Radhe-Krishna-Dhun-રાધે કૃષ્ણ ધૂન

કૃષ્ણ કહેતાં દ્વારિકાને, રાધા કહેતાં વૃજ,

યાદ કરીને પાવન થઈએ, પ્રેમ-ભક્તિને રંગ,

બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)

જશોદા કહેતાં માતાજીને, બાબા કહેતાં નંદ,

રાસ રચાવે યમુના તટ પર, રાધાજીને સંગ,

બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)

ગોકુળ કહેતાં ગોવર્ધનને, નાથે કાળો ભુજંગ,

વેણુ વાજે વનરાવનમાં, સુંદર કરી ત્રિભંગ,

બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)

“સાજ” કહેતાં મૃદંગ વાગે, થાપ દીધી બુલંદ,

રાધે રાધે રટણ કરતાં, મૂક્તિનો આનંદ,

બોલો રાધે કૃષ્ણ, જય જય રાધે કૃષ્ણ(૨)

 ”સાજ” મેવાડા

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

A New York City subway train holds 1,200 people. This blog was viewed about 4,500 times in 2011. If it were a NYC subway train, it would take about 4 trips to carry that many people.

Click here to see the complete report.

મિત્રો,

આખરે મારો કાનો રિઝ્યો, મારા ઉપર! એના પ્રેમના સંકેતો મળ્યા, અને આ રચના થઈ છે. ગોકુળની એક વિરહઘેલી ગોપી કાનાના અંગત-સ્નેહીઓને, મિત્રોને અને અન્ય ગોપીઓને પૂછે છે, “કાનો ગોકુળમાં ક્યારે આવશે?” પણ અન્ય પણ કાનાની જવાની વેદનામાં સામે એવો જ પ્રશ્ન પૂછે છે. આખરે રાધાજી શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણે કહેલી વાત દોહરાવે છે, કે કાનો હવે ભક્તોના પ્રેમ થકી તેમનો આર્તનાદ સાંભળીને આવશે. 

 

“કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

નંદ જશોદાને એમજ પૂછી લીધું, “કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

આશભરી આંખ લૂંછી જશોદાએ કીધું, “મારી ધેનુંને આવી ચરાવશે?”

 

ભેરુ ગોવાળને વાતોમાં પૂછી લીધું,  ”કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

અજવાળી રાતમાં યમુનાના તટ પર, “દડો રમવાને ક્યારે આવશે?”

 

ગાયોને ખડ દેતી ગોપીઓને પૂછી લીધું, ”કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

મહીડાં વલોવી શીંકે મેલ્યાં છે, “મટકી ફોડવાને ક્યારે આવશે?”

 

રાધાજી બાવરીને કોણ પૂછે સીધું, ”કાનો ગોકુળ માં ક્યારે આવશે?”

કાનો વસ્યો છે મારા રુદિયામાં “સાજ”, “ભક્તોની આર્ત સુણી આવશે.”

 

“સાજ” ંમેવાડા

 

 

 

ગઈ કાલ તા. ૦૩/૧૧/૧૧ મારા માટે ધન્ય-ઘડી ધન્યભાગની હતી. પ.પૂ. માતા પરમાબેનની શ્રીમદ ભાગવતની કથામાં એમણે મારી એક રચના, “ઓ મન મ્હારા કરો સરગમશુ પ્રિત- સરગમ સ્તુતિ”નો અર્થસભર વિમર્ષ કર્યો અને સાથે રચનાને ગાઈ. લગભગ એક કલાકની વ્યાખ્યાન માળામાં મને કંઈક મારા વિચારો કરતાં વિષેશ જાણવા મળ્યુ. ભાવવિભોર થઈને હું સાંભળતો રહ્યો. આ રીતે પોતાની રચનાને કથાકાર મૂલવે અને રચયિતા કથામાં હાજર હોય એવી અનન્ય ઘટના મારા જીવનમાં બની. શ્રીહરિની કૃપા મારા પર છે જ એની પ્રતિતિ થઈ. જોકે આ રચના ઘણીવાર તેઓ કથામાં સમાવેષ કરીને ગાય છે. એક પામર માનવીની આથી વધારે શું ઉપલબ્ધી હોઈ શકે?

માનનિય બ્લોગ મિત્રો,

મીઠાપુર-દ્વારિકા છોડ્યાને ૨ મહિના થયા. શ્રીકૃષ્ણની જ કૃપા હશે કે ૧૪ વર્ષ પછી પરત મારી માતૃભૂમિમાં ફરીથી સ્થાયી થયો, એનો આનંદ તો છે જ, પણ આ સાથે એક અજબનું દર્દ અનુંભવી રહ્યો છુ. ત્યાર પછી એકપણ કાવ્ય-ગીત-ભક્તિ રચના નથી થઈ. કદાચ ખરેખર મારો કાનુડો રિસાઈ ગયો છે કે મેં આવતાં પહેલાં, “ મારે કાનાનું નામ નથી લેવું..” એવું ગીત લખ્યું! ઘણા પ્રયત્નો કર્યા પણ એક પણ સુંદર પંક્તિ ભાવમાં ઉતરતી નથી. શુ કરું અને શુ ના કરું, એની જ ગડમથલ મનમાં ચાલ્યા કરે છે.

હવે તો એકજ ગીત યાદ આવ્યા કરે છે અને ગણગણ્યા કરૂ છુ, “ જો તુમ તોડો પિયા મેં નહી તોડુ રે, તોરી પ્રિત છોડી ક્રીષ્ણા કોન સંગ જોડુ?…”

(Meera Bhajan from Film- Zanak zanak payal baje, Singer-Vani Jairam, Music- Pt Ravishankar)

 “મોર્ડન” મીરાંની શ્રી હરિ-કૃષ્ણને વિનંતિ.

 

Request: Please read the original poem by MukeshJoshi, the link is,

http://www.krutesh.info/2010/11/blog-post_11.html#axzz1byKQIHjA

આ રચના મારા એક બ્લોગ મિત્રે લખેલી છે. આમતો નિયમ રાખ્યો છે કે મારા બ્લોગમાં ફક્ત મારી પોતાની જ રચનાઓ મૂકવી પણ આ પંક્તિઓનો ભાવ જરા ‘હટકે’ હોઈ અહીં મૂકવા પ્રેરાયો છુ. હાલમાં મારી નવી રચના નથી થઈ તો આશા રાખુ છું કે આપ સૌને આ ગમશે. કોપી રાઈટ એમના પોતાના છે, મેં એમની સંમતિ થી પોસ્ટ કરવા લીધી છે.

શ્રી ચરણે અરજી….

હરિ તમેતો મારા ખૂબજ પ્રિય,

સાંભળજો, મારી આ અરજ.

લગ્ન માટે મુરતિયાઓ લખી

મોકલે વિગતવાર માહિતિ. એમાં

તમે પણ મોકલો ફોટા સહિત,

તમારી માહિતિ.

માહિતિ મોકલજો સંપૂર્ણ, અધુરી

અરજી સ્વિકારવામાં આવશે નહીં.

માહિતિ વાંચી ઘરવાળા હા પાડે તો,

પ્રભુ પરણવા આવજો.

જો ના પાડે તો પ્રભુ ભગાડી જજો.

હરિ તમેતો જાણો મારા મનની મરજી,

હરિ તમેતો સાવજ અંગત,

સાંભળજો ખાસ આ અરજી. 

કવિનું નામ- વિનંતિથી નથી લખ્યું. આ સાથે મૂળ રચનાના કવિ શ્રી મુકેશ જોષીની લિન્ક ભાઈશ્રી કૃતેશની comment માં છે, તે અવશ્ય જોવા વિનંતિ છે.

Wellcome, my friends

"Saaj" Mevada Presenting his composed song

 

It was a very hectic time for me in last two weeks. After superannuation from services at TCL, I had the honour to enjoy three farewell parties hosted by management, hospital staff and Kamdar sangh. Despite my shortcomings, all people appreciated my work as a surgeon and added appreciation and honour as a Lord Dwarikadish devotee. The Mangaldeep Satsang Mandal presented M. Rafi night on 31/08/2011. Specially for me, Bhajan Sandhya was organized on 1/08/2011, were most of my songs/bhajans were sung by Shr Sharadbhai Mehta, Karshan Ghadavi, Smt. Dakshaben Bhatt & myself and my wife Saroj. It was a memorable event & I deeply grateful to all. I specially thank, Shri Sharadbhai, Mukund, Kirtisinh, Shri Mahendrasinh Zala, Karshan Ghadavi and Radhika studio for excellent arrangements with dinner and videography. I was touched by their love & affection which I will cherish throughout my rest of the life.

Off line for some time

Dear my blog visitors,

I will be off line for 2 to 3 weeks. Please bear with me if I do not respond to your comments in time. Please continue to visit and read & enjoy my other postings too. I certainly appreciate your comments and wish they are worth reading.

Thanks a lot.

Yours ,

Dr P A Mevada, “Saaj”

મારે કાનાનું નામ નથી લેવું.

Dwarka from Reliance Road

મારે મીઠાપુર સાથે દ્વારિકાને છોડવાનો સમય નજીક છે ત્યારે અંતરમાં અવનવી વેદના અનુભવાય છે. ખાસતો મારા આરાધ્ય દેવાધિદેવ ભગવાન શ્રી દ્વારિકાધીશને, મારા કાળીયા ઠાકોરેને છોડીને દૂર વસવું પડશે એની વેદના ઘણી છે. આવા ભાવાવેશમાં આ રચના થઈ છે. આપ ભાવિકોને પણ ગમશે અને કંઈક અંશે થોડી વિરહ વેદના પણ અનુભવાય તો મારો પ્રયત્ન સફળ થયો છે. બાકી પ્રભુપ્રેમની સામે કશુંય ના ટકે, જોજનો દૂર રહીને પણ એ અનુભવાય.

મારે કાનાનું નામ નથી લેવું,

ભલે રાતભર જાગીને રોવું.

પ્રેમે પરખ્યોતો એને વૃજની કુંજમાં,

રાસ રમ્યો તો સાથે વેણુની ધૂનમાં,

નથી કાળીયા ઠાકોરને કંઈ કહેવું….મારે.

તારો હુંકમ હું આજ માથે ચડાવું,

દર્શનને કાજે હરિ ધામ તારે આવું,

અંતે સાગરમાં મારે સમાવું….મારે.

ચરણે પડીને ‘સાજ’ વિનવે છે નાથને,

નંદજીના લાલ ના છોડો મારા હાથને,

ભવભવના બંધન કેમ તોડું….મારા.

‘સાજ’ મેવાડા

૧૦મી જુલાઈ ૨૦૧૧.

 

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.