Feeds:
Posts
Comments

શ્રી પુનિત મહારાજની “મા-બાપને ભૂલસો નહીં” એ રચના તો સૌએ વાંચીજ હશે.

અત્યારની સામાજિક વ્યવસ્થામાં ઘણાંના દિકરો-દિકરી આ વાતને વિસારે પાડીને કેવું વર્તન કરેછે એ વાત દર્શાવતી મારી આ રચનામેં વર્ષો પહેલાં લખેલી તે રજુ કરું છું.

                 અપેક્ષા ની ઉપેક્ષા   (છંદ – મંદ્રાકાન્તા)

 બેટો મારો ભણીગણી અને, એક થાશે અમારો,

માનીતોને અમરંક તણી, ભાંગશે ભૂખ કેવો!

થાશે એતો અમવૃધ્ધ તણી, દેહની લાકડીને,

તેનીસાથે, સહ-કુટુંબથૈ, રે’શું ભેગાં મળીને.

હો’શું બેઠાં, સમય મળતાં પૌત્ર ખોળે લઈને,

વાતો મીઠી, નિજ સુખતણી કે’શું કેવાં મળીને?

આવે જ્યારે સુઅવસરને, બોલસે બેટડોએ,

“માડી મારી, વદ તુજ તણી, છે શું ઈચ્છા અનેરી?

લાવી દેતો હું ક્ષણિક મહીં,બોલ માડી હવેતો!!”

માતા પિતા પુત્ર ઉપર આ, રાખતા જે અપેક્ષા,

એ યુવાની સહજ મળ્તાં, થાય એની ઉપેક્ષા.

બોલે ત્યારે નિજ જનકને,” કેમ વચ્ચે બકોછો?”

ડોશો ભૂંડો, અણસમજુંયે,”ઓહ! ખોટો લવારો.”

માતાને કે’ “અરરરર જરા, દોહલી શેં ન જોતી-

દેખાતું ના તુજ નયનમાં, રોજ દુઃખો જ રોતી.”

છેલ્લે જ્યારે બહાનું મળતાં, થાય જૂદો તમોથી,

જેણે દીધો જનમ તુજને, ભુલતો શેં હવેતો?

“સાજ” મેવાડા

જીવન ચિલા-ચાલુ હોય તો ઘણાને  ના ગમે. તો આજે હું “જરા હટકે” મારા આ Banshari Banine WP ના BLOG માં એક નવાજ પ્રકારની રચના મૂકું છું.

એવું તો ચાલ્યા કરે….

પામવા ઈશને આમ તેમ ભટક્યા કરે,

કેડમાં છોકરું ને, ગામમાં શોધ્યા કરે.

પ્રેમીઓની આ વાત સદા ખૂંચ્યા કરે,

રડ્યાં નથી ને આંસુઓ લૂંછ્યા કરે.

વાદળો એ એમ વરાપમાં વરસ્યા કરે,

આવીને તાપ આંગણે રમ્યા કરે.

રાજનિતીમાં એવું તો ચાલ્યા કરે,

માનવતાની લાશને ગીધડાં ચૂંથ્યા કરે.

જેવું નશીબ! કોઇ સ્વર્ગમાં મ્હાલ્યા કરે,

ભમરા આકડા કે થોરને ચુંમ્યા કરે.

કંઈ નથી કામ કવિઓને, લખ્યા કરે,

વાંચનારા એમાં અર્થને તારવ્યા કરે.

કંઈ દમ નથી વાતમાં ને પૂછ્યા કરે,

‘સાજ’ એ જોઇ મૂછમાં મલક્યા કરે.

સાજ” મેવાડા

કોઈ પણ મંદિરમાં Security નો પ્રશ્ન મોટો હોવાથી રક્ષકો હોય છે. આ જોઇને આ રચના લખાઈ.સામાન્ય લોકો માટે મોટા મંદિરોમાં દર્શન દુર્લભ છે.

 નહીં રે આવું

 મને ગોકુળ ગમે ને વ્રજ વ્હાલું,

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

સોનાના મહેલ તારા ગોરજ મ્હારું,

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

 

દ્વારે ને ચોકે તારા રક્ષકની ટોળીઓ,

રંગ મહેલ ને એની ઊચીં છે મેડીઓ,

ગોપી ગોવાળ ઘેલું ગોકુળ મ્હારું

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

 

શંખ નગારાં ને ઘંટારાવ ગાજે,

રુકિમણિ સાથે ઝૂલે હિંડોળા ખાટે,

વેણુધર રાધેશ્યામ ક્યાંથી લાવું,

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

 

નટખટ તે નંદલાલ રાજાધિરાજ છે,

ભૂલ્યો છે “સાજ” કદી ભૂલ્યો ના નાથ છે,

સાદ કરે સપનામાં દોડી આવું,

શામળિયા દ્વારિકામાં નહીં રે આવું.

 

રાગ – ક્લ્યાણ

“સાજમેવાડા

અભિશાપ

અભિશાપ 

              આપણને ઘણી વાર વિચાર આવે કે ભગવાન જેવા ભગવાનને પણ આવા દૂન્યવી દુઃખો કેમ પડતા હશે? એવું કથાઓ કે ધર્મ ગ્રંથો માં વાંચવા મળછે, પ્રભૂ જ્યારે માનવિય અવતાર ધારણ કરે છે ત્યારે બધુજ માનવીની જેમજ થાયછે. અભિશાપ કે શ્રાપ પણ એમને લાગે. આવી વાત ધ્યાનમાં આવતાં આ રચના બની.         

               સાથે એ પણ સમજાયું કે પ્રભૂને માનવ અવતારમાં આ બધું વેઠવું પડે છે, તો આ પામર માનવી દુઃખોથી રડે એમાં શી નવાઈ? આવા સમયે પ્રભૂને પ્રાર્થના કરીએ કે “હે પ્રભૂ, તમે જેમ અંતે જીવન પૂરુ કર્યું,તેમ અમારુ પણ વિતિ જાય, અમને શક્તિ આપો.”

 

હોય રાજા કે પ્રભૂ અવતાર રે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે.

માનવીતું રડે દુઃખોને શું કામ રે,

પ્રભૂ તને શક્તિ આપે તુમ સહી જાણરે.

 

શ્રવણને વિયોગે શ્રાપ અંધ મા-બાપે દીધો,

રાજા તને (દશરથ તને) અમારું દુઃખ લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

 

દુર્વાસા ને શ્રાપે રાણી રુકિમણિ વગડામાં વસે,*

પટરાણી એતો દ્વારિકાના નાથની કહેવાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

 

સુદર્શનધારી દેહ પારધી ના બાણે છોડે,

યદુકૂળનો નાશ એવો ગાંધારીનો શ્રાપ લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

 

“સાજ”ના આનંદનો ભેદ જાણે તો કોણ જાણે?*

અભિશાપ એને પ્રભૂ ચરણ નો લાગી જાયરે,

અભિશાપ મિથ્યા ના થાય કોઈ કાળ રે…..માનવીતું

 

રાગ – સારંગ

“સાજ” મેવાડા

 

**નોંધ – રુકિમણિ નું મંદિર દ્વારિકાની બહાર આવેલું છે, એના અનુસંધાનમાં આ લખાયું છે.

         મારુ મૂળ શહેર-ગામ છોડી દ્વારિકાધીશ ના સાંનિધ્ય માં આવ્યો.

લાગી લગન

લાગી લગન

“લગન લાગી” ઉપર  કબીરર્થી માંડીને ઘણા કવિ-ભક્તો એ લખ્યું છે. હું પણ એમાંથી બહાર નથી રહી શક્યો. ભજનની ધુન લાગે પછી પ્રભૂ, શ્રીકૃષ્ણ હોય કે શિવ કે અન્ય દેવિ-દેવતાઓ, એમના નામે કિર્તન કરી સ્મરણ કરીએ.

લાગી લાગીરે લગન મને હરિ નામની,

દુનિયાની માયા મારે શી કામની?…..લાગી લાગી રે.

ગજાનન ગણપતિ વિઘ્નહર બોલું,

ચરણોમાં બેસી કરું પૂજા એમની…..લાગી લાગી રે.

રામ રામ બોલું હુંતો સિયારામ બોલું,

હનુમાને કીધી મને કથા રામની…..લાગી લાગી રે.

કૃષ્ણ કૃષ્ણ બોલું હુંતો રાધેશ્યામ બોલું,

વેણુના નાદે ઝૂમું વાટે વ્રજની…..લાગી લાગી રે.

શિવ શિવ બોલુ હુંતો ભોલેનાથ બોલું,

હરિ ૐ હર હર મહાદેવની…..લાગી લાગી રે.

વિણાદેવી સરસ્વતી શારદેમા બોલું,

મૃદંગ ના તાલે બોલું ધુન “સાજ”ની…..લાગી લાગી રે.

રાગ – ભુપાલી

“સાજ” મેવાડા

Note:

જોગાનુજોગ  “લાગી રે લગન” ઉપર ત્રણ સંગિતકારો એ જુદી જુદી રિતે સ્વરબદ્ધ કરેલુ એક ગીત ત્રણ ગાયકોના અવાજ માં સાંભળવા મળ્યુ. તમે પણ મજા માણો. 

http://tahuko.com/ dated November 28th, 2009

http://www.mavjibhai.com/

સાચું સગપણ!

ઘણી વાર આ પ્રશ્ન થઈ આવે કે આપણુ ખરેખર કોઇ સગુ-વહાલું છે કે બધાં સ્વાર્થનાં જ સબંધો છે.

આખરે આવું કઈંક લખાઈ જાય. મને તો અનૂભવથી એજ પાર્થના કરવી ગમે કે ભલે મારું કોઇ ના હોય,દ્વારિકાનો નાથ તું મને ના છોડી જઈશ.

 

 

સગપણ કાચું છે તારે સંસારીની સાથે,

શામળિયાનું સગપણ સાચું સાચું.

 

ઝેરનો પ્યાલો રાણો મીરાં ને મોકલે,

અમૃત કરી મીરાંને દીધું દીધું……શામળિયાનું

 

વસ્ત્રો પુર્યા છે સખી દ્રૌપદીને કાજે,

સભામાં સૌનું મુખ નીચું નીચું……શામળિયાનું

 

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,

સુદામાનું ધન દુઃખ ભાંગ્યું ભાંગ્યું……શામળિયાનું

 

“સાજ” ને ભરોસો દ્વારિકાના નાથનો,

સઘળુ જીવન તેને ચરણે ધર્યું……શામળિયાનું

 

રાગ – ?

“સાજ” મેવાડા

ભગવાન શ્રીકૃષ્ણ તેમના જીવનકાળ દરમ્યાન ઘણી માનવીય હરકતો કરેછે. એકવાર એમનું માથું દુખેછે અને આકુળ-વ્યાકુળ થઈ જાયછે. પણ ખરુ કારણ કંઈક બીજુજ હોય છે.

કોઈપણ માનવીની જેમજ એ પોતાનું બાળપણ જ્યાં વિત્યું છે તે ગોકુળ અને ગોપ-ગોપી- રાધા

અને મિત્ર મંડળની યાદોમાં ખોવાઈ જાય છે. શ્રીકૃષ્ણના આ માનવિય ભાવોની મઝા માણીએ.

        શ્યામનું શિરશૂળ

શિરશૂળ ઉપડ્યું છે શ્યામને મ્હારા,

જાઓ સખી વૈદને બોલાવો રે,

મ્હારા શ્યામને દર્દથી છોડાવો રે.

 

પીધા ઓસડિયા ને લેપને લગાવે,

તોયે શ્યામ દર્દથી પીડાયે રે….મ્હારા શ્યામને

 

રુકિમણિ શિર દાબે ચિંતા કરે નાથની,

તોયે શ્યામ બોલે ના ચાલે રે….મારા શ્યામને

 

ભુવા બોલાવો ને જોષીડા તેડાવો,

(એની) દાણા જોઇ નજરું ઊતારો રે….મ્હારા શ્યામને

 

નારદજી આવ્યા ને ધ્યાન ધરી બોલ્યા,

જાઓ કોઇ પૂછો વ્રજ નારને રે….મ્હારા શ્યામને

 

પાદરજ ગોપીઓની ઔધવજી લાવે,

હસી ઊઠે શ્યામ મધુર ગાવો રે….મ્હારા શ્યામને

 

દ્વારિકાનો નાથ કરે લીલા “સાજ” જ્યારે,

એને ગોકુળની યાદ સતાવે રે….મ્હારા શ્યામને.

 

રાગધાની

સાજમેવાડા

નટખટ એવો નંદલાલ બાળ કનૈયો ગોકુળની ગોપીઓને કંઈને કંઈક રીતે રંજાડે છે. પાણી ભરવા જતી કે મહીં વેચવા જાય ત્યારે મટુકી ફોડે, કે દાણ માગે. જમના કાંઠે ન્હાવા ગઈ હોય ત્યારે વસ્ત્રો ચોરે. અડધી રાતે વાંસળી વાગાડી ઊંઘ માં બહાવરી બનાવી ઘર-બાર છોડી દોડાવે. જ્યારે બધી ગોપીઓ ભેગી મળી માતા જશોદાજીને ફરિયાદ કરે ત્યારે જશોદજી કહે,”મારો કાનુડો વહેલી પરોઢથી ગાયો ચારવા નિકળી પડેછે, તમે તેની ફરિયાદ શાની કરોછો? વાંસળી વગાડે અને સૂરો થી ખેંચાઈ ને રાધા પણ ઘેલી બનીને દોડી આવે એમાં કનૈયાનો શું વાંક?” કોઇ પણ માતાની જેમજ કનૈયાની મા પણ બાળકનું ઉપરાણું લે છે. મા ના પ્રેમનું આ સુંદર રહસ્ય છે.

પરોઢે ઊઠી વ્હેલો ધેનુ ચરાવે,

ઝાલર ટાણે લાલો સિધો ઘેર આવે,

મારા વ્હાલા કાનને કાંઈ ના કહેશો,

એને કાંઈના કહેશો, એને ચોર ના કહેશો…મારા

ગોવાળો તેની સાથે રમવાને આવે,

લાગે દડોને કોઈની મટુકી જો ભાંગે,

એની ગોપીઓ રાવ શાને મારે ઘેર લાવે?…મારા

વેણુંના નાદે છોરી બરસાણાની આવે,

સહિયરો સાથે ઘેલી રાસ રચાવે,

મીઠી મીઠી વાતો કરે એને ભરમાવે…મારા

મારા કનૈયાને માખણ બહું ભાવે,

વ્રજ ની નાર બધી એનો વાંક કાઢે,

માખણ ચોર કહે એને ધમકાવે…મારા

દોડી કનૈયો માની ગોદમાં ભરાયો,

બડભાગી “સાજ’ જુવે ભાવભીની આંખે,

માતાના પ્રેમ તોલે કોઈના આવે…મારા

 

રાગ – ધાની

સાજ” મેવાડા

જોગાનું જોગ કે વિધિ નું કરવું, “प्रभु मेरो ए कैसो है बंधन”, WordPress ના મારા Blog માં મૂક્યુ. તે સાંજેજ મારો નાનો ભાઈ દેવલોક પામ્યો. વેદનાને શી રીતે વ્યક્ત કરૂ? એવાજ કોઇ પ્રસંગે લખાયેલી આ રચના મૂકુ છૂ. પાર્થિવ દેહને શ્મશાને વળાવવા જતાં સર્વે સંબંધીજનોને જઈ રહેલો આત્મા આ રીતે સમજાવે છે.

 

વ્હાલાં સિધાવો ટાણું હવે પાછા વળવાનું,

ભલો આ સાથ સિમાડા સુધી….મારે આગળ એકલા જવાનું.

 

સાથે ફર્યાને સાથે ખરચ્યું ઘણું,

આ મનખા દેહનું નાણુ,

આખરી વિદાય આ વસમી લાગે પણ,

આમજ મેળામાં મળવાનું…મારે આગળ એકલા જવાનું.

 

ચાંદો સુરજ દિશે અવિચળ તોયે,

તારાએ એક દિ ખરવાનું,

નીચે પાણીને ઊપર વાદળ એમ,

આતમ નુ રૂપ એક જાણું,મારે આગળ એકલા જવાનું.

 

 

આવેલું તેડુ પરલોક્થી આતો,

નથી કોઇ કાળે ફરવાનું,

જીવન દીવડો ઘણો પ્રકાશ્યો,

અંતે તો તેલ ખૂંટ્વાવું,મારે આગળ એકલા જવાનું.

 

અંત સમયે રામ નામ લઈને,

હરખી હેતે ભેટવાનું,

“સાજ”ના સાથીઓ ઝાઝા ઝુહાર,

તમો જ્ઞાનીને શું કહેવાનું?…મારે આગળ એકલા જવાનું.

 

રાગ – ભૂપાલી

“સાજ” મેવાડા

 

હિંદુ ધર્મગ્રંથો ને આધારે આપણે દૈહિક શરીર અને જીવાત્માને જૂદા માન્યા છે. જીવાત્મા અંતે પર્માત્મા માં ભળી જાયછે. આત્મા જ્યારે શરીર છોડીને જાય ત્યારે પોતાના પાર્થિવ શરીરની દસાશી થાયછે તે જુવે અને તેને જે લાગણી થાયછે તેનુ આ ભજન માં નિરૂપણ કરવાની કલ્પના કરી છે. આને આખરે એ સમજાવવા પ્રયત્ન કર્યો છે, કે જેમ આ શરીર બનવા માં માટી, વાયુ, તેજ વિ. નો ઊપયોગ થયો છે તેમ અંત સમયે તેમાંજ ભળી જવાનું છે.

प्रभु मेरो ए कैसो है बंधन,

आगेना जाऊ मैं पीछे ना जाऊ,

पार करो मेरा ये भव बंधन…..प्रभु मेरो

खटीया छोड मोहे कैसो सुलयो,

गंगा जलसे स्नान करयो,

आग लगी बीच आंगन…..प्रभु मेरो

कास्ट चन्दनसे बांध जलायो,

धृत डालकर और बढायो,

जल जल पिघला मेरा सब तन…..प्रभु मेरो

तूने दयानिधी पवन फुंकायो,

कण कण मेरो खूब उडायो,

जूग्नू टुटा बिखरे तेजन…..प्रभु मेरो

जैसो आयो वैसो समयो,

“साज” समज फिर क्यों पछतायो,

गाता रहे तू अलख निरंजन…..प्रभु मेरो.

राग – चन्द्रकौन्श

“साज” मेवाडा

Older Posts »